PM Vishwakarma Yojana 2024 પીએમ વિશ્વકર્મા યોજનામાં મળશે 15 હજાર ની સહાય ૨૦૨૪



 PM Vishwakarma Yojana 2024: આ બજેટમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ પીએમ વિશ્વકર્મા યોજનાની જાહેરાત પણ કરી છે. આ યોજના દ્વારા સરકાર ચાલુ વર્ષ 2023-24 થી 2027-28 સુધીમાં વિશ્વકર્મા સમુદાયની નીચે આવતા લોકો માટે 13,000 કરોડ રૂપિયાની સહાય માટે જાહેરાત કરવામાં આવી છે. આ વિશ્વકર્મા સમુદાયમાં 140 થી વધુ જાતિનો સમાવેશ થાય છે. આવી સહાયકારી પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો, યોજનાનો ઉદ્દેશ્ય, યોજનાના લાભ, વિશેષતાઓ, સહાયમાં મળતી રકમ, વ્યાજદર, પાત્રતા તેમજ આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તે વિશેની સમગ્ર માહિતી આ લેખ દ્વારા મેળવીશું.


PM Vishwakarma Yojana 2024 ની મુખ્ય હાઈલાઈટ

  1. યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના
  2. યોજના જાહેરાત તારીખ 17 સપ્ટેમ્બર 2023
  3. યોજનામાં અરજીની શરૂઆત તારીખ 17 સપ્ટેમ્બર 2023
  4. સત્તાવાર વેબસાઈટ https://pmvishwakarma.gov.in/
પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી?
– પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની ચાલુ મોનસુન સત્ર 2023-24 માં નિર્મલા સીતારમણ દ્વારા આપણા માનનીય પ્રધાનમંત્રી ના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બર 23 ના રોજ કરવામાં આવી છે.

પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના લાભો
  • પીએમ વિશ્વકર્મા કલ્યાણકારી યોજનાના ઘણા બધા લાભો અને વિશેષતાઓ છે જે નીચે દર્શાવ્યા મુજબ ના છે.
  • આ યોજના દ્વારા વિશ્વકર્તા સમુદાય નીચે આવતી તમામ 140 કરતાં વધુ જેવી કે કડિયા, કુંભાર, ભારદ્વાજ, લુહાર, સુથાર, મોચી વગેરે જ્ઞાતિ ને આ યોજના દ્વારા લાભ આપવામાં આવશે.
  • પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના નીચે આવતી તાલીમ મેળવીને સ્ટાઇપેન્ડ પ્રાપ્ત થતું હોવાથી યોજનામાં પાત્રતા ધરાવતા સમાજના લોકોની આર્થિક સ્થિતિમાં પણ વિકાસ થશે.
  • આ યોજનાના લાભાર્થી કારીગર મિત્રોને સમાજની મુખ્ય શાખા સાથે જોડવામાં આવશે.
  • તાલીમ મેળવ્યા બાદ લાભાર્થીને રોજગાર ની નવી તકોના અવસર મળશે.
  • પીએમ વિશ્વકર્મા યોજના ફક્ત એવા પરંપરાગત કામ કરતા કારીગરો જેવા કે કુંભારી કામ, સુથારી કામ, લુહારી કામ, શિલ્પકારો અને સુવર્ણકારો જેવા કામ કરતા લોકોને જ પ્રાપ્ત થશે.
  • આ યોજના અંતર્ગત તાલુકા પ્રમાણે MSME વિભાગ દ્વારા તાલીમ ના કેન્દ્રો શરૂ કરવામાં આવશે અને કારીગરોને તાલીમ આપવામાં આવશે તેમજ તાલીમ દરમિયાન સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો ઉદ્દેશ્ય
આ કલ્યાણકારી યોજનાનો મુખ્ય ઉદ્દેશ પરાગત કામ કરતા કારીગરો અને શિલ્પકારો ની કારીગરી ને વેગ આપીને તેમના દ્વારા બનાવાયેલી વસ્તુને બજારો સુધીની પહોંચ વધારવા માટે છે તેમજ આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ્ય કારીગરોને આત્મનિર્ભર અને રોજગાર પૂરો પાડવાનો છે.

પીએમ વિશ્વકર્મા યોજનામાં લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો અથવા ડોક્યુમેન્ટ
– આ કલ્યાણકારી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા ઈચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે.

  1. આધારકાર્ડ, રહેણાંક નો પુરાવો,
  2. સક્રિય મોબાઇલ નંબર,
  3. જાતિ નું પ્રમાણપત્ર,
  4. બેંક અકાઉન્ટ,
  5. પાસબુક,
  6. પાસપોર્ટ સાઇઝ ના ફોટા
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની પાત્રતા
– પીએમ વિશ્વકર્મા યોજનાના લાભ લેવા ઈચ્છતા ઉમેદવારે નીચે મુજબના ઠરાવ માંથી ઉત્તીર્ણ થવાનું રહેશે.

  • આ યોજનાનો લાભ ફક્ત સુથાર, સોની, લુહાર, મિસ્ત્રી, વાણંદ, દરજી, ધોબી, વાળ ચાવી બનાવનાર, શસ્ત્રો બનાવનાર, શિલ્પકારો, પગરખા બનાવનાર, બોટ-જહાજ બનાવનાર, રમકડા બનાવનાર, રસોડાની વસ્તુ બનાવનાર, ઘર વપરાશ ને લગતા નાના ઓજારો બનાવનાર તેમજ અન્ય આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા કારીગરો ને જ મળશે.
  • ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
  • ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે
  •  તેમજ આ યોજનાને લગતી અન્ય જરૂરી લાયકાત પણ ઉમેદવારોએ પૂરી કરવાની છે.
યોજના અંતર્ગત ની તાલીમમાં મળતી રકમ
– પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીને સમય દરમિયાન કુલ 15000 ટુલકીટ પ્રોત્સાહન પેટે સહાય આપવામાં આવશે તેમજ તાલીમ પિરિયડ દરમિયાન તાલીમ મેળવતા લાભાર્થીને પ્રતિદિન 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મળતી લોન સહાય
– પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ યોજનાના લાભાર્થીને કોલેટરલ ડી એન્ટરપ્રાઇઝ ડેવલોપમેન્ટ લોન પણ આપવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તા પેટે એક લાખ ની લોન 18 મહિના ચુકવણી મુદત પર અને બીજા હપ્તા પેટે 2 લાખ ની લોન 30 ચૂકવણી મુદત પેટે આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? (pm vishwakarma yojana online apply)

– આ કલ્યાણકારી વિશ્વકર્મા યોજનામાં ઓનલાઇન અરજી કરવા માટે નીચે દર્શાવેલા પગલા નું પાલન કરો

  • આ યોજનામાં અરજી કરવા ઈચ્છુક કારીગર મિત્રોએ યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmvishwakarma.gov.in/ ની મુલાકાત લેવાની રહેશે જે નીચે દર્શાવ્યા મુજબ છે.
  • સત્તાવાર વેબસાઈટ ના હોમ પેજ પર લોગીન વિભાગ પર CSC-Artisans નો વિકલ્પ દેખાશે જેની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ચેક નવું પેજ ઓપન થશે જે નીચે દર્શાવ્યા મુજબનું હશે.
  • અહીં તમારે માંગેલી તમામ માહિતી દાખલ કરીને ઓથેન્ટિકેશન પર ક્લિક કરીને પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સમક્ષ રજીસ્ટ્રેશન કરવા માટેનું એક પેજ ઓપન થશે જેમાં તમારે તમારી બધી જ પર્સનલ માંગેલી વિગતો દાખલ કરવાની રહેશે. તેમજ માંગેલ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • સબમિટ બટન ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક એપ્લિકેશન નંબર જનરેટ થશે જેને સાચવી રાખવા વિનંતી.

યોજનામાં સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
  • જો અરજદારે તેમની નોંધણી યોજનામાં પૂર્ણ કરી છે તો સ્ટેટસ ચેક કરવા માટે પીએમ વિશ્વકર્મા યોજનાની સત્તાવર વેબસાઈટ પર વિઝિટ કરો.
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ હોમપેજ પર ઉપલબ્ધ લોગીન ના વિકલ્પ થી લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમારી સમક્ષ એક બોક્સ દેખાશે જેમાં નોંધણી કરાવતી વખતે પ્રાપ્ત થયેલો એપ્લિકેશન નંબર અહીં બોક્સમાં દાખલ કરવાનો રહેશે ત્યાર પછી તમે તમારી નોંધણી ની સ્થિતિ ચેક કરી શકો છો.

0 Response to "PM Vishwakarma Yojana 2024 પીએમ વિશ્વકર્મા યોજનામાં મળશે 15 હજાર ની સહાય ૨૦૨૪"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11